અષાઢ માસની નવરાત્રીની ખાસ વાતો:19 જૂનથી શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, આ દિવસોમાં દસ મહાવિદ્યાઓ માટે કરવામાં આવે છે સાધના

અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ 19 જૂનથી શરૂ થઈ રહી છે. દેવી પૂજાનો આ તહેવાર 27 જૂન સુધી ચાલશે. ગુપ્ત નવરાત્રિમાં દેવી સતીની દસ મહાવિદ્યાઓના આશીર્વાદ મેળવવા માટે ધ્યાન ધરવામાં આવે છે. હિન્દી પંચાંગમાં નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે. ચૈત્ર મહિનામાં પ્રથમ, અષાઢમાં દ્વિતીય, આસોમાં ત્રીજી અને મહા મહિનામાં ચોથી. મહા અને અષાઢ મહિનાની નવરાત્રિ ગુપ્ત રહે છે. ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રિને પ્રાકટ નવરાત્રિ કહેવામાં આવે છે.

અષાઢ માસની નવરાત્રીની ખાસ વાતો:19 જૂનથી શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, આ દિવસોમાં દસ મહાવિદ્યાઓ માટે કરવામાં આવે છે સાધના

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, ગુપ્ત નવરાત્રિમાં, દેવી સતીની મહાવિદ્યાઓ માટે ગુપ્ત સાધનાઓ કરવામાં આવે છે. આ મહાવિદ્યાઓમાં મા કાલી, તારા દેવી, ષોડશી, ભુવનેશ્વરી, ભૈરવી, ચિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા દેવીનો સમાવેશ થાય છે.

ઋતુના સંધિકાળમાં આવે છે નવરાત્રી
નવરાત્રીનો સંબંધ ઋતુઓ સાથે છે. જ્યારે બે ઋતુનો સંધિકાળ હોય ત્યારે દેવી પૂજાનો આ તહેવાર ઉજવવામાં આવે છે. સંધિકાલ એટલે એક ઋતુનો અંત અને બીજી ઋતુની શરૂઆત.

ચૈત્ર માસની નવરાત્રિ દરમિયાન વસંતઋતુ સમાપ્ત થાય છે અને ઉનાળાની ઋતુ શરૂ થાય છે. અષાઢ માસની નવરાત્રિ દરમિયાન ઉનાળાની ઋતુ પૂરી થાય છે અને વરસાદની ઋતુ શરૂ થાય છે.

આસો નવરાત્રિના સમયે વરસાદની ઋતુ પૂરી થાય છે અને શિયાળાની ઋતુ શરૂ થાય છે. મહા મહિનાની નવરાત્રિ દરમિયાન શિયાળાની ઋતુ પૂરી થાય છે અને વસંતઋતુની શરૂઆત થાય છે.

હવામાન પરિવર્તનના સમયે ઉપવાસ કરવો જોઈએ
આયુર્વેદ મુજબ ઉપવાસ કરવાથી આપણા પાચનતંત્રને આરામ મળે છે. ખાવા-પીવામાં સંયમ રાખવાથી આપણે રોગોથી દૂર રહીએ છીએ. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જ્યારે આપણે ખાવા-પીવામાં સંયમ રાખીએ છીએ ત્યારે આળસ આવતી નથી અને મન પૂજામાં વ્યસ્ત રહે છે.

પૂજા પછી એકાગ્ર મનથી કરવામાં આવતા અન્ય કાર્યોમાં પણ અનેકગણી સફળતા મળે છે. નવરાત્રિના દિવસોમાં દેવી માતાના ભક્તો શરીરને ઉર્જાવાન રાખવા માટે ભોજનનો ત્યાગ કરે છે અને ફળ ખાય છે. પૂજા, જપ, તપ અને ધ્યાન મનને શાંત કરે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે.

source- divyabhaskar