પતિના મૃત્યુ બાદ પત્નીએ કર્યું કંઈક એવું કામ કે લોકોની આંખમાંથી આંસુઓ સરી પડ્યા, આજના પ્રેમીઓ માટે અમર પ્રેમ નું ઉદાહરણ પૂરું પાડ્યું

આપણા દેશમાં લગ્નની સાથે સાથે પ્રેમનો સંબંધ પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આપણે ત્યાં લગ્ન વખતે અગ્નિની સાક્ષી લોકો સાત જન્મ સાથે રહેવાનું વચન આપતા હોય છે આથી જ કહી શકાય કે પ્રેમમાં ખૂબ જ શક્તિ હોય છે. ઘણીવાર એવો પ્રેમ આપણે જોઈએ છીએ કે તેને જોતાની સાથે જ આપણી આંખમાં પણ આંસુ આવી જાય છે. તેઓ લોકો જન્મો જનમના સાથી હોય તેવું નજરે પડે છે આવો પ્રેમ આપણે આસપાસ ઘણી વાર આપણે જોયો હશે.

પતિના મૃત્યુ બાદ પત્નીએ કર્યું કંઈક એવું કામ કે લોકોની આંખમાંથી આંસુઓ સરી પડ્યા, આજના પ્રેમીઓ માટે અમર પ્રેમ નું ઉદાહરણ પૂરું પાડ્યું

પતિ અને પત્ની સાત જન્મ સાથે જીવવાની સાથે સાત જન્મ સાથે મરવાની શપથ લે છે ત્યારબાદ જ પોતા ના લગ્ન જીવનની શરૂઆત કરતા હોય છે. તો ઘણીવાર આ શપથ સાચી પણ પડતી હોય છે. જેમાં બંને લોકો સાથે જીવવાની સાથે એક સાથે મળતા પણ હોય છે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિના મૃત્યુ બાદ તુરંત જ પત્નીએ પણ પોતાના જીવનનો ત્યાગ લાવી તેનો અંત લાવી દીધો હતો આ દંપત્તિ એ એક સાથે રહેવાનું અને એક સાથે મળવાનું વચન સિદ્ધ કરતું જોવા મળ્યા હતા.

પતિના મૃત્યુ બાદ પત્નીએ કર્યું કંઈક એવું કામ કે લોકોની આંખમાંથી આંસુઓ સરી પડ્યા, આજના પ્રેમીઓ માટે અમર પ્રેમ નું ઉદાહરણ પૂરું પાડ્યું

આ ઘટના મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં જોવા મળી હતી આ દ્રશ્ય જોઈને સૌની આંખોમાં આંસુ આવી ગયા હતા. આપે પણ આવી ઘટના ભાગ્યે સાંભળી હશે કારણ કે આજના સમયમાં આવો પ્રેમ ક્યારેક જ જોવા મળે છે. આ ગામમાં પતિ અને પત્નીએ પોતાના અમર પ્રેમનો એક ઉદાહરણ સાબિત કરી દીધું છે જે આજના પ્રેમીઓ માટે ખૂબ જ પ્રેરણાદાય બની ગયું છે. જ્યાં પતિ પત્નીને લગ્ન વખતે જે ઘરમાં લાવ્યો તે જ ઘરમાં બંનેની અર્થી એક સાથે ઉઠી હતી જ્યાં હાજર લોકોની આંખોમાંથી પણ આંસુઓ સરી પડ્યા હતા કારણ કે આ દ્રશ્ય સૌ લોકો માટે ખૂબ જ ભાવુકમય પણ બની ગયું હતું.

મળતી માહિતી અનુસાર 85 વર્ષીય શંકર ધોબીનો પરિવાર જાવદ તાલુકાના ગોટા ગામે રહે છે પરંતુ અચાનક જ રવિવારે રાત્રે શંકર ધોબીનું મોત થયું હતું ત્યારબાદ તેના પુત્ર એ શંકરલાલ ની પત્નીને ઇશારામાં કહ્યું હતું કે તેમના પતિ આ સંસાર છોડીને ચાલ્યા ગયા છે આપને જણાવી દઈએ કે તેમની પત્ની બોલી શકતી નથી તેથી જ તેમને મોતના સમાચાર ઈશારામાં જણાવ્યા હતા.

પરંતુ આ સમાચાર તેમને સહન ન થયા હતા. કારણકે તે તેમના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી આ સમાચાર મળવાની સાથે જ બે કલાક પછી તે પણ મૃત્યુને ભેટી ગયા હતા. પતિ અને પત્નીના એક સાથે મૃત્યુ થવાથી તેમના પરિવારજનોમાં તથા તેમના ગામમાં પણ શોક નો માહોલ સર્જાયો હતો. કારણ કે પતિ અને પત્નીની એક જ સાથે અંતિમયાત્રા નીકળી હતી.

બંનેના એકસાથે તેમના પરિવારજનો દ્વારા અગ્નિસંસ્કાર આપ્યા હતા તમામ લોકો માટે ખૂબ જ દુઃખમય હતી. તેમનો પુત્ર જણાવતા કહે છે કે મારી માતા ને જ્યારે આ સમાચાર આપ્યા ત્યારે તે ખૂબ જ રડવા લાગી તેની આસપાસ અનેક લોકો બેઠા હતા પરંતુ આ દુઃખમાં સમાચાર આવવાની સાથે જ તે બે કલાક બાદ મૃત્યુને ભેટી હતી. મારી માતાને ઉઠાડવાના આસપાસના લોકો દ્વારા તથા મારી દ્વારા ખૂબ જ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

પરંતુ મારી માતા ઉઠી ના હતી. ત્યારબાદ મારી માતા અને પિતા બંને આ સંસાર છોડીને એક જ સાથે ચાલ્યા ગયા હતા. તેમનો દીકરો વધુ જોડાતા કહે છે કે તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા તે દરેક જગ્યાએ એક સાથે જતા હતા એકબીજા વગર કોઈ રહી શકતું ન હતું. આ અતૂટ પ્રેમ નો કિસ્સો આસપાસના ગામમાં એક ચર્ચાનો વિષય બની ગયો હતો. ખરેખર લોકો કહી રહ્યા હતા કે આજના સમયમાં આવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે.