માં મોગલના પરચા અપરંપાર છે. જેને માં મોગલ પર વિશ્વાસ છે. તેની માટે આઈ મોગલ આખી દુનિયા છે. માં મોગલ પોતાના ભકતોને કયારેય દુઃખી નથી જોઈ શકતા. કચ્છનું કબરાઉં ધામ એટલે માં મોગલના ધામથી જાણીતું બનેલું પવિત્ર આજે આસ્થાનું કેન્દ્ર બની ચુક્યું છે. એવું કહેવામાં આવે છે મોગલ ધામની અંદર સાચા મનથી કરવામાં આવેલ માનતા મોગલ માતા અવશ્ય પૂરી કરે છે. અનેક ભક્તો પોતાના દુખ લઈને મોગલ માતાના ધામની અંદર આવે છે.
જો સાચા દિલથી કોઈ તેમની મનોકામના માંગે તો તેની મનોકામના જરૂરથી પુરી થાય છે. એટલા માટે જ માં મોગલને આઢારે વર્ણની માતા કહેવામાં આવે છે.
મોગલ માતા પણ તમામ ભક્તોના દુખો દુર કરીને તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરે છે.
માં મોગલના મંદિરમાં ધર્મ જાતિને લઈને કયારેય કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો. આજે અમે તમને એવી જ એક વાત જણાવવા જઈ રહ્યા છીએ. એક મહિલા મણિધર બાપુ પાસે પોતાની માનતા લઈને આવી. મહિલાએ મણિધર બાપુને કહ્યું કે, બાપુ મારા લગ્નના 10 વર્ષ થઇ ગયા છે અને અને આ 10 વર્ષમાં સંતાન સુખ માટે અમે લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા છે.
તેમણે જણાવ્યું કે, દવાખાના આંટા ફેરા કરીને થકી ગયા છીએ તો પણ આજ સુધી આમરી સંતાનની ઈચ્છા પુરી થઇ નથી. હવે થાકીને અમને માં મોગલનો જ આશરો દેખાઈ રહ્યો છે. તો મણિધર બાપુએ મહિલાને જણાવ્યું કે, બેટા માં મોગલ પર અતૂટ વિશ્વાસ રાખજે પણ જરાય અંધશ્રદ્ધા રાખતી નહી. અહીં વિશ્વાસથી કામ થાય છે ચમત્કાર નથી થતા.
તેમણે કહ્યું કે, બેટા તું એક છોડીને એક એમ ત્રણ મંગળવાર ભરજે અને 25 વાર ખોબામાં પાણી લઈને પી લેજે. માં મોગલ તારી બધી જ મનોકામના પુરી કરશે. માં મોગલ પર વિશ્વાસ રાખજો તમારા ઘરે જરૂરથી સંતાન થશે અને તમને માતા પિતા બનવાનું સુખ પણ મળશે. આટલું સાંભળીને મહિલા ખુબ જ ખુશ થઇ ગઈ અને તેને વિશ્વાસ આવી ગયો કે, માં મોગલ તેની ઈચ્છા જરૂરથી પુરી કરશે.
આજે પણ મણીધર બાપુ દરેક ભક્તોને જણાવે છે કે મોગલ માતા પર શ્રદ્ધા રાખો અને અંધ વિશ્વાસમાં માનતા નહિ.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.