કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.
માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.
ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.
માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં. ત્યારે ફરી એકવાર મોગલમાં ચરણને ભક્ત પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.
નળ સરોવરથી પધારેલા મહિલા ભક્ત જેઓ મોગલ ધામ માનતા પૂરી કરવા માટે ગયાં હતાં, તેમની માનતા મુજબ, મારી જમીનનું કામ ઘણાં સમયથી અટકી ગયું હતું પછી મેં મોગલ માઁને માનતા માની કે હે માતાજી જો તમે મારૂ અટકેલું કાર્ય પૂર્ણ કરી દેશો તો હું મોગલ ધામ આવીને માનતા પૂરી કરીશ પછી માતાજીએ શીઘ્ર તેમની અરજ સાંભળીને તેમની મનોકામના પૂરી થતા મોગલ ધામ માનતા પૂરી કરવા માટે આવ્યાં હતા.
ત્યારે તેમણે માનતા પૂરી કરવા માટે મહંત મણીધર બાપુના ચરણોમાં 50,000 રૂપિયા અર્પણ કર્યા હતા, પછી મણીધર બાપુએ મહિલા ભક્તને પૂછ્યું કે તમે બહેન કેટલી છે તો તેમણે કહ્યું કે અમે ચાર બહેનો છીએ અને મણીધર બાપુએ એમ પણ પૂછ્યું કે ફઈ કેટલી છે તો બાપુને જણાવતા મહિલાએ કહ્યું કે મારી ત્રણ ફઈ છે તો અમે સાત જણ આ પૈસાનો ભાગ પાડીને લઈ લેજો માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે. જય મોગલ માઁ!!
source – news7gujarat