સુરતમાં વધુ એક વ્યક્તિનું છાતીમાં દુઃ ખાવાને લઈ અચાનક મોત થવાની ઘટના સામે આવી છે. કાપોદ્રાના કિરણ ચોક પાસે પાર્ટી પ્લોટમાં સવારે 44 વર્ષીય વ્યક્તિ યોગા કરતા હતા. અચાનક જ તબિયત લથડિયા બાદ છાતીમાં દુઃ ખાવો થયો હતો. જેને લઇ તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવા માટે આવી રહ્યા હતા.
દરમિયાન હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમણે પોતાનો દમ તોડી દીધો હતો. જેને લઇ ફરજ પરના ડોક્ટર હોય તેને મૃત જાહેર કર્યો હતો. તો ઘટનાને લઇ કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત સહિત રાજ્યમાં હસતા રમતા વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવીને મોત થવાની ઘટના એક પછી એક સામે આવી રહી છે.
અગાઉ ક્રિકેટ રમતા રમતા અનેક યુવકોને હાર્ટ અટેક આવતા મોત નીપજ્યા છે. ત્યારે સુરતના કાપોદ્રામાંથી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં 44 વર્ષીય વ્યક્તિ મુકેશભાઈ મેંદપરા યોગ કરી રહ્યા હતા. દરમ્યાન અચાનક જ તેમની તબિયત લથડી હતી. પેટમાં દુઃખાવો થયો હતો. બળતરા થઈ હતી. ગભરામણ થઈ હતી. બાદમાં છાતીમાં દુઃખાવો થયો હતો.
જેને લઇ યોગ ક્લબ પર તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સુરતના કિરણ ચોક સ્થિત હરે કૃષ્ણ ફાર્મમાં 44 વર્ષીય મુકેશભાઈ ખીમજીભાઈ મેંદપરા વહેલી સવારે યોગ કરી રહ્યા હતા. મુકેશભાઈ વરાછામાં ડાયમંડ ફેક્ટરીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા. હોળીના એટલે રજા હોવાથી તેઓ સ્વાસ્થ્યને સારું રાખવા યોગ કરવા માટે હરેકૃષ્ણ ફાર્મમાં ગયા હતા.
આ દરમ્યાન તેઓની તબિયત લથડી હતી. જેથી ત્યાં હાજર લોકો તેઓને સારવાર અર્થે નજીકની ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. યોગ શીખવા ગયેલ મુકેશભાઈ મેંદપરાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં લઈ ગયા બાદ ફરજ પરના તબીબો તેને મૃત જાહેર કર્યા હતા.
જેને લઇ ઘટના અંગેની જાણ હોસ્પિટલ દ્વારા કાપોદ્રા પોલીસને કરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસના સ્ટાફ હોસ્પિટલ પર આવીને આ અંગે તપાસ કરી હતી. જ્યાં પોલીસ મથકના પીએસઆઇ પી. એ. ભેડાએ જણાવ્યું હતું કે, મુકેશભાઈ યોગ દરમ્યાન એસીડીટી અને પેટમાં બળતરા થયા બાદ સાથી મિત્રો દ્વારા ઓટો રિક્ષામાં હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા હતા.
પરંતુ તે પહેલા તેમને છાતીમાં દુઃ ખાવો વધુ થયો હતો. હાર્ટ બંધ થઈ ગયું હોવાનું જાણવા મળતા તેમને મૃત જાહેર કર્યા હતા. એટલે અચાનક હૃદય રોગના હુમલાને કારણે તેમનું મોત થયું હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે પીએમ રીપોર્ટ બાદ મુકેશભાઈના મોતનું કારણ સામે આવી શકે છે.
મુકેશભાઈના સાથી મિત્ર જસ્મીન ગોરસિયાએ જણાવ્યું હતું કે, કિરણ ચોક હરે કૃષ્ણ ફાર્મમાં યોગા અને એરોબીક્સના ક્લાસ ચાલે છે. ત્યાં મુકેશભાઈ મેંદપરા વાર તહેવારે યોગા માટે આવતા હતા. તેઓની પત્ની પણ યોગા કરાવે છે. તેમની સાથે તેઓ યોગા કરવા આવ્યા હતા. ત્યારે સવારમાં તેઓને એસીડીટી જેવું લાગતું હતું.
જેથી તેઓને ગાદલા પર સુવડાવ્યા હતા.પાણી પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેઓએ ઉલટી કરી હતી.જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં તબીબોએ જણાવ્યું હતું કે, તેઓનું હ્રદય બંધ થઇ ગયું છે. અને તેઓનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ક્રિકેટ રમીને આવ્યા બાદ ૩ યુવકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી ચુક્યા છે.
ત્યારે હવે યોગા દરમ્યાન યુવકની તબિયત લથડ્યા બાદ મોત થયું હોવાનું સામે આવતા અચાનક જ મોત થઈ જતી હોવાની આ પ્રકારની ઘટનાને લઇ આજે સ્વાસ્થ્ય સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. અને આ પ્રકારના મોત આજે એક ચર્ચાનો વિષય બની રહ્યું છે.
Source – vahalnodariyo