વિરાટ-અનુષ્કા ભારત છોડી લંડનમાં કેમ રહે છે? માધુરી દીક્ષિતના પતિએ કર્યો ખુલાસો

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વર્ષ 2024થી લંડન સ્થાયી થયા છે. આ બંનેનું કરિયર અત્યારે પણ પિક ઉપર છે છતાં તેમને આ નિર્ણય લીધો હતો. જેથી ફેન્સ તેમના આ ડીશીજન પર સવાલ કરી રહ્યા હતા. પણ હવે તે વાતનું રહસ્ય પણ ખૂલ્યું છે.

વિરાટ-અનુષ્કા ભારત છોડી લંડનમાં કેમ રહે છે? માધુરી દીક્ષિતના પતિએ કર્યો ખુલાસો

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડનમાં સ્થાયી થયા તે ઘણા સમયથી ચર્ચાનો વિષય હતો. બી-ટાઉનનું આ પાવર કપલ અચાનક વિદેશ કેમ ગયું તે જાણવા ફેન્સ ખૂબ ઉત્સુક હતા. હવે આ રહસ્ય પણ ખુલી ગયું છે.

વિરાટ-અનુષ્કા લંડન કેમ શિફ્ટ થયા?
બી-ટાઉનના સૌથી ચર્ચિત કપલ્સમાંના એક અનુષ્કા અને વિરાટ 2024થી લંડનમાં રહે છે. એક તરફ અનુષ્કાનો ચાર્મ બોલીવુડમાં અકબંધ છે ત્યારે બીજી તરફ વિરાટ ક્રિકેટના મેદાનમાં જોરદાર પર્ફોર્મ કરી રહ્યો છે. આ જોડી હંમેશા ફેન્સને ગમે છે. પરંતુ જ્યારથી તેમને વિદેશમાં પોતાનો બેઝ બનાવ્યો છે ત્યારથી ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે બેતાબ રહેતા હોય છે.

તાજેતરમાં જ એક રસપ્રદ ખુલાસો થયો છે કે અનુષ્કા અને વિરાટે દેશ છોડવાનો નિર્ણય કેમ લીધો. ફેમસ એક્ટ્રેસ માધુરી દીક્ષિતના પતિ અને જાણીતા કાર્ડિયાક સર્જન ડૉ. શ્રીરામ નેનેએ તેમના એક ઇન્ટરવ્યુમાં આ રહસ્ય ખોલ્યું છે.

ડૉ. નેનેએ કર્યો ખુલાસો
ડૉ. નેનેએ કહ્યું કે અનુષ્કા અને વિરાટની લાઇફમાં પબ્લિકની દખલઅંદાજી એક મોટું કારણ હતું. વાતચીત દરમિયાન તેમને જણાવ્યું કે આ કપલ તેમની સિદ્ધિઓને સૂકુનથી સેલીબ્રેટ કરી શકતા નહતા. દરેક પગલે કેમેરા અને દેખરેખે તેમના અંગત જીવનને ઘણી હદ સુધી અસર કરી હતી.

વાતચીતમાં તેમને કહ્યું કે કોઈપણ સેલિબ્રિટી માટે ચાહકોનું સતત ધ્યાન મેળવવું એ ગર્વની વાત છે પરંતુ જ્યારે તે તેમની પ્રાઈવેટ મુવમેન્ટમાં દખલ કરવાનું શરૂ કરે છે ત્યારે તે સમસ્યા બની જાય છે. શ્રીરામ નેનેએ એક ઉદાહરણ આપ્યું કે કેવી રીતે સામાન્ય ડિનર કે લંચ પણ ‘સેલ્ફી મોમેન્ટ’માં ફેરવાઈ જાય છે.

બાળકોના કારણે લેવાયો નિર્ણય
તેમન એમ પણ ઉમેર્યું કે અનુષ્કા અને વિરાટ તેમના બાળકોને સામાન્ય અને સરળ જીવન આપવા માંગે છે. તે નહોતો ઇચ્છતો કે તેના બાળકો કેમેરા અને ફેેનફેયરથી ઘેરાયેલા રહે. તેના બદલે તે ઇચ્છતો હતો કે તેના બાળકોનું બાળપણ સહજતામાં પસાર થાય.

અનુષ્કા અને વિરાટના આ નિર્ણય પાછળનો વિચાર સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ તેમના પરિવારને પ્રાઈવેસી અને સામાન્ય જીવન આપવા માંગે છે. શ્રીરામ નેનેએ પોતે સ્વીકાર્યું કે એક સેલિબ્રિટી તરીકે સતત લોકોના ધ્યાનનો સામનો કરવો સરળ નથી અને આવી સ્થિતિમાં લંડન જેવા શહેરમાં રહેવું એક સારો ઓપ્શન બની જાય છે.